મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરાશે

- text


મોરબી : મોરબી શહેરના રાધાકૃષ્ણ મંદિર ખાતે આગામી રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સાથે છપ્પનભોગ પ્રસાદ અને મહાઆરતી પણ યોજાશે.

આગામી તા.10/4/2022ને રવિવારે રાધાકૃષ્ણ મંદિર, પરસોતમ ચોક મોરબી ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવનાર હોય જે અંતર્ગત સવારે 10:00 કલાકે છપ્પનભોગ પ્રસાદ યોજાશે. આ છપ્પનભોગ પ્રસાદમાં જે ભક્તો પોતાનો પ્રસાદ મુકવા માંગતા હોય તેઓએ 09:00 વાગ્યા સુધીમાં પ્રસાદની થાળી તથા પ્રસાદ મંદિરે મૂકી જવાનો રહેશે.

આ ઉપરાંત મહાઆરતી બપોરે 12:00 કલાકે કરવામાં આવશે.ભક્તો પોતે પોતાની આરતી સાથે પણ લાવી શકશે. આ ધર્મોત્સવનો સર્વે ભક્તોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text