મોરબીમાં સ્વજનની શ્રદ્ધાંજલી નિમિતે ધૂન-ભજનનું આયોજન

- text


મોરબી : સ્વજનને શ્રદ્ધાંજલી આપવા તેમના પરિવારો દાન કરતા હોય છે.બાળકોને બટુકભોજન કરાવડાવતા હોય છે વગેરે જેવા પુણ્યના કામ કરી સ્વજનને શ્રદ્ધાંજલી આપતા હોય છે.એ જ રીતે નાનીવાવડીના નીવાસી પડસુંબિયા પરિવારના સ્વજનને શ્રદ્ધાંજલી આપવા ધૂન – ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.

નાનીવાવડીના નિવાસી સ્વ.અરજણભાઈ ધનજીભાઈ પડસુંબિયાની શ્રદ્ધાંજલી નિમિતે ધૂન – ભજનનું આગામી તા.16ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે ખોડિયાર સોસાયટી,નાનીવાવડી, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ ધૂન ભજનમાં કલાકાર સુરેશ પટેલ ઉસ્તાદ ગ્રુપ(મોરબી – વાવડી) અને અશોકભાઈ ભાયાણી ઉપસ્થિત રહેશે. આયોજક દિનેશભાઈ અરજણભાઈ પડસુંબિયા,કિશોરભાઈ અરજણભાઈ પડસુંબિયા,નરેન્દ્રભાઈ અરજણભાઈ પડસુંબિયા(ઉમિયક પ્રોવિઝન સ્ટોર)એ જાહેર જનતાને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

- text