ચંદ્રપૂરની સરકારી શાળાઓમાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર-નિબંધ સ્પર્ધાઓ યોજાઈ

- text


વાંકાનેર : ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ મોરબી દ્વારા વાંકાનેર તાલુકાના ચંદ્રપૂર ગામની ભાટીયા સોસાયટી કુમાર પ્રાથમિક શાળા અને ભાટીયા કન્યા પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં હતું.

આજ તા.14/03/2022 ના રોજ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ મોરબી દ્વારા વાંકાનેર તાલુકાના ચંદ્રપૂર ગામની ભાટીયા સોસાયટી કુમાર પ્રાથમિક શાળા અને ભાટીયા કન્યા પ્રાથમિક શાળામાં તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ અને વ્યસનમુકિતના સંદેશ અને સમજણ આપતા નિબંધ તથા ચિત્રો દોર્યા હતા. ત્યારબાદ બંને સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને તમાકુ નિયંત્રણ વિભાગ દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ હતા.

- text

ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા બંન્ને શાળાના વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિના ફાયદા, વ્યસનથી થતુ નુકસાન તેની આર્થિક અસરો, સામાજિક અસરો વગરે બાબતો અને સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય બુધ્ધદેવ અતુલકુમાર દ્વારા તમામ બાળકોને જિંદગીમાં કયારેય વ્યસન ન કરવા અને પોતાના પરીવારને પણ વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્ય વસીયાણી મનસુખ તથા બંને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

- text