મોરબી જિલ્લા આપ દ્વારા રવિવારે તિરંગા યાત્રા યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આગામી તા.13/3/2022ને રવિવારે બપોરે 3:30 કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ તિરંગા યાત્રામાં દિલ્હીના ધારાસભ્ય નરેશભાઈ યાદવ, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, મોરબી જિલ્લા પ્રભારી શિવાજીભાઈ ડાંગર તેમજ જિલ્લા ટીમના તમામ પદાધિકારીઓની આગેવાનીમાં તિરંગાયાત્રા યોજાશે.

- text

તિરંગા યાત્રા બપોરે 3:30 કલાકે મોરબી જિલ્લા કાર્યાલય, અવની ચોકડી ખાતેથી નીકળી ભક્તિનગર સર્કલ, ઉમિયા સર્કલ, રવાપર ચોકડી, બાપા સીતારામ ચોક, નવા બસ સ્ટેન્ડ, ગાંધી ચોક, વિજય ટોકીઝથી થઈ વીસી ફાટક ખાતે પૂર્ણ થશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text