વડાપ્રધાનના કાર્યક્રમમાં રાજ્યમંત્રી મેરજાને સ્ટેજ ઉપર સ્થાન

- text


રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા વેલકમ સ્પીચ આપશે

મોરબી : આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત મહાપંચાયત સંમેલનને સંબોધનાર છે ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરેજને સ્ટેજ ઉપર સ્થાન મળ્યું છે ઉપરાંત તેઓ વડાપ્રધાનને આવકારતી સ્પીચ આપશે.

અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજરોજ સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષતામાં ગુજરાત મહાપંચાયત સંમેલન યોજાઈ રહ્યું છે જેમાં સમરસ ગ્રામપંચાયતના પાંચ સરપંચોનું સન્માન કરવાની સાથે પંચાયત વિભાગની સિદ્ધિ અંગેની કોફી ટેબલ બુકનું વિમોચન કરવાની સાથે પંચાયત વિભાગની સિદ્ધિઓ વર્ણવતી શોર્ટ ફિલ્મનું પણ મંચન થનાર છે.

- text

મહત્વની વાત્તતો એ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં સભામંચ ઉપર ફક્ત છ મહાનુભાવોને જ સ્થાન મળ્યું છે જેમાં મોરબી-માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરેજાને સ્થાન અપાયું છે ઉપરાંત વડાપ્રધાનને આવકારવા વેલકમ સ્પીચ પણ રાજ્યમંત્રી મેરજા આપનાર છે.

- text