મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ બંધ કરાયો

- text


 

પુલ જર્જરિત હાલતમાં હોય, રીનોવેશન પૂર્ણ થયે ફરી ખુલ્લો મુકાશે

મોરબી : મોરબીનો ઝૂલતો પુલ જર્જરિત હાલતમાં હોય, રીનોવેશનનું કામ શરૂ કરવા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. આ કામ પૂર્ણ થયા બાદ ઝૂલતા પુલને પુનઃ શરૂ કરી મોરબીવાસીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવનાર છે.

મોરબીનો ઝૂલતો પુલ છેલ્લા થોડા સમયથી જર્જરિત હાલતમાં હતો. જેને કારણે છેલ્લા 5થી 6 દિવસથી આ પુલ મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે પુલનું સંચાલન કરતા અજંતા ઓરેવાના પીઆરઓ દીપકભાઈ પારેખે જણાવ્યું હતું કે પુલ જર્જરિત હાલતમાં હતો. જેથી રીનોવેશનની કામગીરી ચાલુ કરવામાં આવનાર છે. આ કામગીરી પૂર્ણ થશે એટલે ઝૂલતા પુલને ફરી ચાલુ કરી દેવાશે.

- text

ઉલ્લેખનીય છે કે ઝૂલતો પુલ અગાઉ ભૂકંપ આવ્યો તેમાં જર્જરિત થયો હતો. ત્યાર પછી તેનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 વર્ષ સુધી આ પુલ ચલાવવામાં આવ્યો હતો. હવે ફરી તેનું રીનોવેશન હાથ ધરવામાં આવ્યું છે.

- text