મોરબીમાં ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ સાથે બમણી રકમ પરત કરવા કોર્ટનો હુકમ

- text


 

મોરબી : મોરબીમાં રૂ. ૪.૨૫ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે.આ સાથે આરોપીને દંડ પેટે ચેકની બમણી રકમ ૯ ટકા વ્યાજ સાથે ફરિયાદીને પરત આપવાનો પણ આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

મોરબીના ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ એ. એન. વોરા સાહેબે ચેક રીટર્નના કેસમાં મહત્વનો ચુકાદો આપેલ છે. જેની મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના નાની વાવડીના રહીશ મનજીભાઈ ડાયાભાઈ પડસુંબીયાએ, સને ૨૦૧૪માં મોરબીના રહીશ જીગ્નેશગીરી વિનોદગીરી ગોસ્વામી પાસેથી અંગત જરૂરીયાત માટે સંબંધના દાવે રૂા. ૪,૨૫,૦૦૦/- હાથ ઉછીના લીધેલ હતા. જે રકમ પરત આપવા માટે મનજીભાઈએ રૂા. ૪,૨૫,૦૦૦/- નો ચેક આપેલ હતો. જે ચેક વણચૂકવ્યો પરત ફર્યો હતો.

- text

જેથી જીજ્ઞેશભાઈએ ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટસ એકટ ની કલમ ૧૩૮ અન્વયેની ફરીયાદ મોરબીના મહે. ચીફ જયુડીશીઅલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફોજદારી ફરીયાદ સને ૨૦૧૪માં દાખલ કરતા કેસ ચાલી જતા મોરબીના મહે. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ એ.એન. વોરા સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની બમણી રકમ રૂા. ૮,૫૦,૦૦૦/- નો દંડ અને દંડની રકમ ચૂકવવામાં કસૂર કર્યેથી બીજા ૯૦ દિવસની કેદની સજા અને દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ તથા ચેકની રકમ ઉપર વાર્ષિક ૯% લેખે વ્યાજની રકમ ફરીયાદીને ચૂકવી આપવાનો મહત્વનો ચુકાદો આપેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે ફરીયાદીના વકીલ તરીકે વિદ્વાન વકીલ ચિરાગભાઈ ડી. કારીઆ તથા રવિભાઈ કે. કારીયા રોકાયેલ હતા.

- text