વનાળીયાની સરકારી શાળામાં ધો.10ની પરીક્ષા અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામે સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 10નાં વિદ્યાર્થીઓને બોર્ડની લેખિત પરીક્ષામાં તૈયારી અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમજ દરેક વિદ્યાર્થીઓ સારા રેન્કથી પાસ થાય તેવી શાળાના સમગ્ર સ્ટાફગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

મોરબી તાલુકાના વનાળીયા ગામે સરકારી માધ્યમિક શાળા આયોજીત એક અદભૂત પ્રેરણાદાયક વકૅશોપ યોજાયો હતો.મોરબીના વનાળીયા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 10નાં વિદ્યાર્થીઓને બોર્ડની લેખિત પરીક્ષામાં તૈયારી કઈ રીતે કરવી તેમજ વિદ્યાર્થીઓના મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરળ સચોટ શૈલીમાં માર્ગદર્શન મળી રહે તે માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ સેમિનારના મુખ્ય પ્રવકતાઓ સરકારી માધ્યમિક શાળાના આચાર્ય વાગીશ જાની,મેહુલભાઇ દેથરિયા,સી.આર.સી.કો-ઓર્ડીનેટર કાલરિયા,સૈલાબ સુમરા અને હાજી સુમરા આ તમામે મહત્વની ભૂમિકા અદા કરેલ હતી.અંતે આ તકે આવનારા દિવસોમા બોર્ડની લેખિત પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓ સારા રેન્કથી પાસ થાય તેવી શાળાના સમગ્ર સ્ટાફગણ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અને સરકારી કોરોનાની ગાઈડલાઈન મુજબ સેમિનારનું આયોજન થયેલ હતું અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text