મોરબીના રણછોડનગર-2માં ઉભરાતી ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા ‘આપ’ની માંગ

- text


મોરબી : મોરબી શહેરના ખીજડીયા રોડ રણછોડનગર – 2માં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઊભરાય છે.જેનાથી રહેવાસીઓ તંગ આવી ગયા છે. ત્યારે જો આ સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે.

- text

મોરબી શહેર ‘આપ’ના મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડે આ અંગે નગરપાલિકામાં કરેલી રજૂઆત મુજબ ખીજડીયા રોડ, રણછોડનગર – 2માં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાય છે.આ અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી છે.તેમ છતાં આ સમસ્યાનો આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. વારંવાર આવેદન આપવા છતાં પણ આ સમસ્યા ઉકેલાઈ નથી. ત્યારે આ પ્રશ્નનું ઝડપી નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે.તેમ રજૂઆતના અંતે જણાવ્યું છે.

- text