આજે સાંજે મોરબીમાં લત્તા મંગેશકરને સ્વરાંજલિ

- text


મોરબી : ભારત રત્ન અને સૂર સામ્રાજ્ઞી સ્વર્ગસ્થ લત્તા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે તારીખ 13 ફેબ્રુઆરીના રોજ મોરબી શહેરમાં કરાઓકે ઈવનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીના સ્વરાંજલિ ગ્રુપ ઓફ સિંગર્સ દ્વારા આજે તારીખ 13 ફેબ્રુઆરીને રવિવારના રોજ સાંજે 6 થી 9 રવાપર રોડ પર આવેલા સ્વરાંગણ સ્ટૂડિયો ખાતે એક ખાસ કરાઓકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકારો દ્વારા સ્વર્ગસ્થ લત્તા મંગેશકરને સ્વરાંજલિ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં હંસરાજભાઈ ગામીના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે.

- text