મોરબીમાં કાલે રવિવારે ફ્રી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

- text


જરૂરિયાતમંદ દર્દીઓ ત્રણ દિવસની દવા ફ્રી અપાશે : ઇન્ડિયન લાયોનેસ ક્લબના સૌજન્યથી કેમ્પનું આયોજન

મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના સૌજન્યથી સદ્દગતની યાદમાં એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તથા રાહત દરે ફિઝિયોથેરાપી કરવામાં આવશે.જરૂરિયાતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે.

- text

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સ્વ.ભીખુભાઇ (પોપટલાલ) જેરામભાઇ જોગિયાની પુનિત યાદમાં પ્રફુલ્લાબેન સોનીના હસ્તે એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તા.13ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે ગુજરી બજાર,મયુરબ્રીજ નીચે,મફતીયા પરા,મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. ત્રણ દિવસની જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે.ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે તેમજ આંખ તપાસી આપવામાં આવશે.ડૉ.હસ્તી આઇ. મહેતા દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવશે.

- text