૧૭ વર્ષ સુધી દેશની સરહદોના રખોપા કરી પરત ફરેલા સૈનિકનું રણજીતગઢમાં ભવ્ય સ્વાગત

- text


દેશની સેવામાં જોડાવા ઇચ્છતા ગામના યુવાનોને હું જરૂરી માર્ગદર્શન આપીશ : આર્મીમેન દિલીપભાઈ સોનગરા

હળવદ: મા ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા ૧૭ વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા હળવદ તાલુકાના રણજીતગભ ગામના દિલીપભાઈ જસમતભાઈ સોનગરા રણજીતગઢ ગામે આવી પહોંચતા ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ દેશભક્તિના ગીતો સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં દેશપ્રેમી યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

હળવદ તાલુકાના નાના એવા રણજીતગઢ ગામે રહેતા દિલીપભાઇ જસમતભાઇ સોનગરાએ પોતાના જીવનના ૧૭ વર્ષ દેશની સરહદના રખોપા કરી નિવૃત થતા માદરેવતન રણજીતગઢ આવતા ગામમાં મોટી સંખ્યામાં લોકોએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતુ. સાથે જ દિલીપભાઈની દેશસેવાને ગ્રામજનો સહિત હાજર રહેલ રાજકીય અને સામાજિક અગ્રણીઓએ બિરદાવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામ હિલોરે ચડ્યું હતું. ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.

નિવૃત્ત આર્મી જવાન દિલીપભાઈ સોનગરાએ સ્વાગત-સન્માનનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે દેશની સેવામાં સરહદો સાચવવા જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું જરૂરી માર્ગદર્શન આપીશ અને દેશ સેવામાં જોડવા આહવાન કરું છું. આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું સ્વાગત સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો,યુવાનો સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સિહોરા, દલવાડી સમાજના પ્રમુખ રવજીભાઈ દલવાડી, રમેશભાઈ ઝિંઝુવાડીયા, નયનભાઈ પટેલ, તપનભાઈ દવે, હિતેશભાઈ લોરીયા, રવિભાઈ પટેલ, કિરણભાઈ ભરવાડ, જીતાભાઈ આહીર સહિતનાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text