શૌર્યગીત કાવ્યલેખન સ્પર્ધામાં મોરબીના યુવા કવિ દ્વિતિય સ્થાને વિજેતા મી

- text


આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન

મોરબી : આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત દેશ-પરદેશ આંતરાષ્ટ્રીય મેગેઝીન આયોજિત દેશભક્તિ અને શૌર્યગીત કાવ્યલેખન સ્પર્ધામાં મોરબીના યુવા કવિ દ્વિતિય સ્થાને વિજેતા ઘોષિત થયા છે.

- text

આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત દેશ-પરદેશ આંતરાષ્ટ્રીય મેગેઝીન દ્વારા ‘દેશભક્તિ અને શૌર્યગીત કાવ્ય લેખન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં દેશ-પરદેશમાં રહેતાં ગુજરાતી ભાષાના લગભગ ૮૦ જેટલા કવિઓ અને કવયિત્રીઓએ ભાગ લીધેલ હતો. જેમાં મોરબીના યુવા કવિ પરમાર રૂપેશ (કવિ જલરૂપ)એ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને મોરબીનું ગૌરવ વધારેલ છે.

- text