મોરબીના સાર્થક વિદ્યામંદિર દ્વારા ‘પત્રકારત્વમાં કારકિર્દી’ સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા સ્કૂલ ખાતે કોમર્સના વિદ્યાર્થીઓ માટે પત્રકારત્વમાં કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પત્રકારત્વમાં કારકિર્દી નામનો કાર્યક્રમ ગોઠવાયો હતો. જેમાં કોમર્સના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આ સેમિનારમાં મોરબીના અનેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જર્નાલિઝમ અંગે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લએ પુછેલ વિવિધ પ્રશ્નોના ઉપસ્થિત પત્રકારોએ માહિતીસભર જવાબ આપ્યા હતા. જેનાથી આ ક્ષેત્રે કેરિયર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની માહિતી મળી હતી. સાર્થક વિદ્યામંદિરમાં કૉમર્સ/સાયન્સના અભ્યાસ દરમિયાન કારકિર્દી માર્ગદર્શન માટે જુદા જુદા કાર્યક્રમોનું નિયમિત આયોજન થતું હોય છે. ત્યારે આ શ્રેણીમાં એક નવા મણકાનો ઉમેરો થયો હતો.

- text