મોરબીમાં રહેતો જામનગરનો યુવક લાપતા

- text


મોરબી : મોરણીમાં રહેતો જામનગરનો યુવક લાપતા થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

મૂળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના અણદા ગામના વતની હાલ મોરબીના ગુજરાત હાઉસીંગ બોર્ડ શેરી નં.-૧૮માં રહેતા 34 વર્ષીય અશ્વિનભાઇ વશરામભાઇ વીરમગામા ગત તા. 26ના રોજ સવાર સાડા પાંચથી સાત વાગ્યાની વચ્ચે કોઇ વખતે કોઇને કહયા વગર પોતાના રૂમેથી નીકળી ગયેલ છે. તેમણે પેન્ટ શર્ટ પહેરેલ છે તથા જમણા હાથની છેલ્લી આંગણીમા ધાતુની વીંટી પહેરલ છે. જમણા હાથમા સફેદ ધાતુની કડુ પહેરેલ છે તથા ગળામા પીળી ધાતુની માળા પહેરેલ છે તથા ડાબા કાનમા સફેદ હીરા કડી પહેરેલ છે. હાલમાં મોરબી સીટી બી ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી ગુમશુદાની શોધખોળ આદરી છે.

- text