હળવદ : શક્તિનગરમાં સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન યોજાશે

- text


સમસ્ત પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન તથા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે

હળવદ : હળવદના શક્તિનગર ગામે આવેલ નકલંક ગુરુ ધામ ખાતે આગામી ૧લી જાન્યુઆરીના રોજ સમસ્ત ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠન દ્વારા આયોજિત સ્નેહમિલન તથા નકલંક ગુરુધામ મંદિરે નવનિર્મિત શૈક્ષણિક સંકુલના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા સંગઠન દ્વારા હળવદના શક્તિનગર ગામે આવેલ નકલંક ગુરુધામ ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું તેમજ નકલંક ગુરુધામ ખાતે તૈયાર થયેલ શૈક્ષણિક સંકુલના લોકાર્પણ પ્રસંગે યોજાનાર કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, રાજ્યના કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ વિનોદ ચાવડા, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા પ્રજાપતિ સમાજના આગેવાન અને હાલ રાજ્યસભાના સાંસદ તરીકે સેવા આપતા દિનેશભાઈ અનાવાડિયાને વિશેષ સન્માનિત કરવામાં આવશે.

પહેલી જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેશે, તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં, કાર્યક્રમને સફળ બનાવવા નકલંક ગુરુ ધામના મહંત દલસુખ બાપુ, વાઘજીભાઈ, રમેશભાઈ, અલકાબેન સહીત પ્રજાપતિ સમાજના આગેવાનો અને સ્થાનિક ભાજપના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text