મોરબીમાં મહારુદ્ર મહાયજ્ઞ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ચોથી વાર મહારુદ્ર મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો.

મોરબીમાં સમય ગેટ પાસે રામજી મંદિર ખાતે હિમદ્વીપ યજ્ઞશાળામાં વજેપર વાડી વિસ્તારના મોરભાઈ રામજીભાઈ કંઝારિયાના પરિવાર દ્વારા શાસ્ત્રી અભિષેક પંડ્યાના આચાર્ય સ્થાને ગત તા. 6થી તા. 10 સુધી મહારુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવ રાજોપચાર પૂજન, ભસ્મ આરતી મહાકાલ, 51 દીવડાની આરતી સહિતની વિશેષ પૂજા કરવામાં આવી હતી. મોરબીમાં આ હવન ચોથી વાર થયો છે. જેનો અનેક લોકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text