સીરામીક ફેકટરીમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબીના લખધીરપુર રોડ આવેલ સીરામીક ફેકટરીમાં બનેલી ઘટના

મોરબી : મોરબીના લખધીરપુર રોડ આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ મોરબીના લખધીરપુર રોડ આવેલ બીસન સીરામીક ફેકટરીમાં રહીને મજૂરીકામ કરતા અનીલભાઇ દાદારાવભાઇ ગજભીએ (ઉ.વ.૩૫) નામના શ્રમિકે ગઈકાલે કોઈ કારણોસર પોતાના સીરામીકના લેબર ક્વાર્ટર રૂમ નં.૪માં સિમેન્ટના પતરામા લગાડેલ લોંખડની એંગલમા ગમચા વડે ગળેફાસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text