રવાપર રોડ ઉપર ઘનશ્યામ માર્કેટ પાસે ઉભરાતી ગટરથી વેપારીઓ ત્રાહિમામ

- text


ઘણા સમયથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા વેપારીઓના ધંધા પર માઠી અસર

મોરબી : મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર મેઈન રોડ ઉપર આવેલ ઘનશ્યામ માર્કેટ પાસે ઘણા સમયથી ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ગટર ઉભરવાની સમસ્યાએ માજા મૂકી છે. ઉભરાતી ગટરને લીધે વેપારીઓના ધંધા પર માઠી અસર પડી છે. આથી વેપારીઓએ તંત્ર સમક્ષ યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

મોરબીના રવાપર મેઈન રોડ ઉપર આવેલ ઘનશ્યામ માર્કેટ પાસે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. અને આ માર્કેટની આસપાસ ગટરના ગંદા પાણી ફરી વળ્યાં છે.જેથી વેપારીઓ અને ખીરીદી અર્થે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યા મામલે સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, ઘનશ્યામ માર્કેટ પાસેની ગટરની યોગ્ય સફાઈ ન થતા ગંદકી ઓવરફ્લો થવાની ગંભીર સ્થિતિ ઉદભવી છે. ગટરના પાણી સતત વહેતા હોય તેમની દુકાનોની આસપાસ આવી જાય છે. ગટરની ગંદકી દુકાનની પાસે જ વહેતી હોવાથી ખરીદી અર્થે આવતા લોકોને મુશ્કેલી પડે છે અને ગ્રાહકીમાં ભારે માઠી અસર પડે છે. તેમજ રોગચાળાનું જોખમ રહે છે. ઘણા સમયથી ગટર ઉભરાતી હોય છતાં તંત્ર પગલાં ન લેતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર આ ગટરની સમસ્યા ઉકેલવા નકકર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text