મચ્છુ-2 કમાન્ડ એરિયાના ગામોમાં 15 નવેમ્બરથી રવિ પાક માટે સિંચાઈનું પાણી છોડવા આવેદન

- text


કેનાલ રીપેરીંગ કરવાની પણ માંગ

મોરબી : મચ્છુ-2 કમાન્ડ એરિયામાં આવતા ગામોમાં રવિ પાક માટે સિંચાઈમાં પાણી છોડવા તેમજ તેનું રીપેરીંગ કરવા બાબતે માનસર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

જેમાં જણાવાયું છે કે મચ્છુ-2 કમાન્ડ એરિયામાં આવતા ગામો જેવા કે માનસર, નારણકા, ખેવળીયા, ગોરખીજડીયા, જેપુર, બગથળા, બિલિયા, નાની વાવડી, વનાળીયામાં રવિ પાક માટે પાણી છોડવામાં આવે તેમજ તાત્કાલિક કેનાલની સફાઈ અને રીપેરીંગ કરવામાં આવે. તથા જે કેનાલ ઉપર કુંડીનું કામ અધૂરું છે તે ઝડપથી પૂરું કરવામાં આવે અને રવિ પાક માટે સિંચાઇ માટે કેનાલમાં તા. 15 નવેમ્બરથી કેનાલમાં પાણી છોડવામાં આવે એવી માંગણી આવેદનપત્રમાં કરાઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text