નવરાત્રીમાં માતાજીની ભક્તિને બદલે પાના ટીચતાં પાંચ ઝડપાયા

- text


વાંકાનેર પોલીસે નવરાત્રી પેટ્રોલિંગ દરમિયાન નવાપરા વિસ્તારમાં દરોડો પાડ્યો

વાંકાનેર : શ્રાવણ, ભાદરવો ગયા બાદ હજુ પણ પત્તાપ્રેમીઓ સુધારવાનું નામ લઈ રહ્યા ન હોય ગઈકાલે રાત્રે વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી પેટ્રોલિંગ દરમિયાન હનુમાનજીના મંદિર નજીક પાના ટીચતાં પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 22,700 સાથે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.

વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રીના નવાપરા વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિર પાસેથી વિશાલભાઇ વિનુભાઈ દલસાણીયા, દીપકભાઈ વિનુભાઈ શંખેસરીયા, રાજેશભાઇ રાણાભાઈ ડાંગરોચા, હરેશભાઇ સોમાભાઈ બાવરીયા અને નાનજીભાઈ પ્રાગજીભાઈ પંડીતને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રૂપિયા 22,700ની રોકડ રકમ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

આ સફળ કામગીરી વાંકાનેર સીટી પીઆઇ બી.જી સરવૈયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ પી.એચ બોરાણા, પોલીસ કોન્સટેબલ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, અરવિંદભાઈ ધીરજભાઇ મકવાણા તથા બળવંતભાઈ પ્રભુભાઈ દેગામા વગેરેએ કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text