કાશ્મીર કી ગલીયા સુની હૈ પાકિસ્તાન ખુની હૈ

- text


હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો

હળવદ : હળવદમાં આજે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પ્રખંડ દ્વારા હળવદના સરા નાકા ખાતે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ કાશ્મીર ઘાટીમાં ષડયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચવામાં આવતા આ ઘટનાનો વિરોધ કરાયો હતો.

આજરોજ હળવદ ખાતે આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું આ તકે હાજર સૌ રાષ્ટ્રભકત કાર્યકરોએ “આતંકવાદ હાય હાય”કશ્મીર કી ગલીયા સુની હૈ પાકિસ્તાન ખૂની હૈ”જીસ કશ્મીર કો ખૂન સે સિંચા વો કશ્મીર હમારા હૈ”હર હિન્દૂ ને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ” ‘ભારત માતા કી જય,વંદે માતરમ” ના નારા લગાવી આતંકવાદનો વિરોધ કર્યો હતો અને સમગ્ર દેશના હિંદુઓ કાશ્મીરના હિન્દૂ અને શીખની સાથે છે તેઓ સંદેશ પણ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં હળવદના અગ્રણીયો અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text