વિરવાવ ગામે આશાપુરા યુવા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ

- text


ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામે આશાપુરા યુવા ગ્રુપ દ્વારા 200 વૃક્ષોના વાવેતર અને જતન માટે જહેમત શરુ કરવામાં આવી છે. આ કાર્ય માટે ગામના યુવાનો આગળ આવ્યા છે.

વિરવાવ ગામે ક્ષત્રિય યુવાનો દ્વારા આગામી માં આદ્યશક્તિના નવલા નોરતા પૂર્વે સ્મશાનમાં શોભા સમાન ઘટાદાર વૃક્ષોના ઉછેર કરવા આજે 200 જેટલા છોડ વાવી તેના જતનની જવાબદારી ઉઠાવી હતી. આ માટે કૃષ્ણસિંહ જાડેજા, રાજભા, કાનભા, ગિરીરાજસિંહ, મયુરસિંહ, અર્જુનસિંહ, કલ્પેશસિંહ, જીતેન્દ્રસિંહ સહિતના પોકેટ મની ઝાડવાના જતન માટે વાપરી ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text