હળવદના રણમલપુર ગામે ખોડિયાર મંદિરમાં તસ્કરોના પરોણા

- text


પારેજીયા પરિવારના કુળદેવી માતાજીના મંદિરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી

હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ પારજીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરમાંથી તસ્કરો રોકડ રકમ અને સોના-ચાંદીના આભૂષણો ચોરી જતા પોલીસ દોડતી થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલા પારેજીયા પરિવારનાં કુળદેવી ખોડિયાર માતાજીનાં મંદિરમાં ગઇકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાંથી પાચ હજાર રોકડા, નથડી અને બુટી (ઇમિટેશન) અને બે ગ્રામનો સોનાનો માતાજીનો ચાંદલો ચોરી ગયા હતા.

- text

માતાજીના મંદિરમાં થયેલ ચોરી મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે. તથા ગુનેગારોને પકડવા માટે હળવદ પોલીસ તંત્ર હાલ દોડતું થયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text