મોરબીની જવાહર સોસાયટીના યુવાનો દ્વારા કોવિડ કેર સેન્ટરમાં તરબૂચ અને ધનરાશિનું યોગદાન

- text


મોરબી : ‘માનવ સેવા પરમો ધર્મ’માં માનનારા મોરબીના વિખ્યાત યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા હાલની કોવિડ-19ની વૈશ્વિક મહામારીમાં સેવાની સરવાણી વહાવવામાં આવી છે. તેના ભાગરૂપે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રફાળેશ્ચર ખાતે આદર્શ નિવાસી શાળામાં સર્વ જ્ઞાતિ માટે કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. જેમાં 150થી વધુ કોરોના દર્દીઓ સારવાર લઈ કોરોનાને હરાવી સ્વજનો સાથે ઘરે પરત ફર્યા છે. ત્યારે મોરબીમાં આવેલ જવાહર સોસાયટીના યુવા સંગઠન દ્વારા કોવિડ કેર સેન્ટરમાં 100 કિલો તરબુચ તેમજ રોકડ રાશિ રૂ. 11,000નું યોગદાન આપવામાં આવેલ છે.

- text

- text