માળિયા બ્રાન્ચ કેનાલમાં ઓછું પાણી છોડાતા ઉભો મોલ સુકાયો

- text


માળીયા મી.: માળીયા મી.ની બ્રાન્ચ કેનાલમાં છેલ્લા 6 દિવસથી પાણીનો જથ્થો અપૂરતો આવતો હોય કેનાલના છેડા સુધી પાણી પહોંચતું ન હોય ખેડૂતોના ઉનાળુ મોલ સુકાઈ રહ્યો છે.

માળીયા મી.ના ખાખરેચી અને સુલતાનપુર ગામ વચ્ચેથી નર્મદા કેનલનું પાણી કપાઇ જતું હોય ખેડૂતોએ મહામહેનતે ઉછરેલો ઉનાળુ પાક મુરજાઈ રહ્યો છે. સરકારે હાલ પાણીની છુટ આપી હોવા છતાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં ન આવતા માળિયા બ્રાન્ચ કેનાલના છેવાડાના ગામ જેવાકે સુલતાનપુર, ચીખલી, વરડુસર, માણાબા, વાધરવા, વિશાલનગર, ખીરઈ સુધી પાણી પહોંચી શકતા નથી. આ સ્થિતિમાં ઉભો મોલ મુરજાઈ રહ્યો હોય આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે પુરતો પાણીનો જથ્થો છોડવામાં આવે.

- text

- text