મોરબી સિરામિક એસો.ના પર્યાવરણના સલાહકાર રહેલા સંદીપભાઈ પરમારનું નિધન

- text


મોરબી : છેલ્લા ઘણા સમયથી મોરબી સિરામિક એસોશિએસનના પર્યાવરણના સલાહકાર રહેલા સંદીપભાઈ પરમારનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. જેને પગલે સીરામીક ક્ષેત્રમાં શોક વ્યાપી ગયો છે.

સંદીપભાઈ હરહંમેશ ટ્રેડ હિતના પક્ષમા બોર્ડ તેમજ અધિકારીઓ અને ઉધોગકારોને સારી રીતે સમજાવીને પ્રશ્નો માટે કામ કરતા હતા. તેઓ છેલ્લા ધણા સમયથી મોરબીની પેપર ઇન્ડસ્ટ્રીઝના પ્રદુષણ બાબતે સચોટ માર્ગદર્શન આપતા હતા. ઔધોગિક સલાહકાર ઘણા હોય પરંતુ ટ્રેડની ચિંતાને પોતાનો પ્રશ્ન સમજીને સતત દોડતા અને સલાહ આપનાર ઓછા હોય છે ત્યારે આવા સલાહકાર સદ્દગત સંદિપભાઇના દિવ્ય આત્માને ભગવાન શાંતિ અર્પે અને વૈકુંઠમા વાસ આપે અને તેમના પરીવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી સીરામીક એસોસિએશન દ્વારા પ્રાર્થના કરાઈ છે.

- text

- text