મોરબી : બોઈલરની રાખમા પડી જવાથી દાઝેલા બાળકનું મોત

- text


મોરબી : મોરબીના લાલપર ગામે આવેલ ગોલ્ડન એરો પેપર મીલની બોઈલરની ભઠ્ઠીની ગરમ રાખમા પડી જવાથી દાઝી ગયેલા બાળકનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લાલપર ગામે આવેલ ગોલ્ડન એરો પેપર મીલમાં રહીને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો પુત્ર દર્શન યોગેશભાઈ માંગરોળીયા (ઉ.વ.૦૪) ગત તા.૧૪/૦૨/૨૦૨૧ ના રોજ સાંજના સમયે કોઈ કારણોસર બોઈલરની ભઠીની ગરમ રાખમા પડી જવાથી શરીરે ગંભીર રીતે દાઝી જતા પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમ.બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમા દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન આ માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટ તરફથી કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text