- text
માળીયા : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે ગતરાત્રીના ક્ષત્રિય યુવાનની હત્યા થઈ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
- text
આ હત્યા અંગે મોરબી જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રીના સમયે માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે ક્ષત્રિય યુવાન દશરથસિંહ ભગવતસિંહ જાડેજા, ઉ.42 નામના યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી, ઘટના અંગે પ્રાથમિક તપાસમાં કૌટુંબિક ઝઘડો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે, આ હત્યા મામલે માળીયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- text