- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક એક યુવક પેસેન્જર ટ્રેનની હડફેટે આવી ગયો હતો. આથી, તેનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું તારણ નીકળી રહ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના દલડી ગામમાં રહેતા અને કારખાનામાં કામ કરતા ખોરાજીયા તજમીલ અબ્દુલભાઈ (ઉ.વ 18) આજે બપોરે 12 વાગ્યાની આસપાસ કામ પરથી ઘરે જમવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ફાટક બંધ હોવાથી તેઓ ચાલીને ટ્રેનના પાટા ઓળંગી રહ્યા હતા. તે વખતે પાટા પરથી ટ્રેન પસાર થઇ રહી હતી. આથી, તેઓ પેસેન્જર ટ્રેનની હડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે યુવક જાણી જોઈને ટ્રેન નીચે આવી જઈ અંતિમ પગલું ભર્યું હોવાનું રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. હાલમાં પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
- text
- text