શનાળા નજીક ટ્રકનું ટાયર તૂટીને માટીના વાસણોની દુકાનોમાં ઘુસી ગયું

- text


સદ્નસીબે જાનહાનિ ટળી

મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામ નજીક ટ્રકનું ટાયર તૂટીને માટીના વાસણોની દુકાનોમાં ઘુસી ગયું હતું. આ અકસ્માતના પગલે દુકાનોમાં આશરે રૂ. 10 હજારના માલને નુકસાની પહોંચી હતી. જો કે સદ્નસીબે જાનહાનિ ટળી હતી અને આજુબાજુના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે રાજકોટ-મોરબી હાઇવે પર શનાળા નજીક આજે સવારના સમયે એક ટ્રકની વ્હીલ પ્લેટ તૂટી ગઈ હતી, અને ટ્રકનું ટાયર તૂટીને રોડની બાજુમાં માટીના વાસણોની દુકાનોમાં ઘુસી ગયું હતું. આથી, 15-20 માટલા, તુલસી-ફૂલછોડના કુંડા અને અન્ય માટીના વાસણો સહીતના માલને નુકસાન થયું હતું. દુકાનદારોને આશરે રૂ. 10 હજારની આસપાસનું નુકસાન થયેલ છે. જો કે આ અકસ્માતમાં સદ્નસીબે કોઈને જાનહાનિ થઇ ન હતી.

- text

- text