માળિયાના સુલતાનપુર ગામે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

- text


કડકડતી ઠંડીને પગલે તસ્કરોનો તરખાટ વધ્યો

મોરબી : માળીયાના સુલતાનપુર ગામે આવેલ વિશાલનગરના એક રહેણાંક મકાનમાં ગતરાત્રે તસ્કરો ત્રાટકયા હતા. પણ મોટો દલ્લો હાથ ન લાગતા તસ્કરોનો આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. જો કે હમણાંથી કડકડતી ઠંડીનું પ્રમાણ વધતા તસ્કરોનો તરખાટ વધ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના સુલતાનપુર ગામે આવેલ વિશાલનગરમાં રહેતા રમેશભાઈ નરશીભાઈ દસાડીયાના મકાનમાં ગતરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ આ મકાનમાંથી મોટો દલ્લો મેળવવા જ્યાં ત્યાં ખાખાખોળા કરી માલસામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને માલસામાનમાં રંજાડ કરી હતી. પરંતુ મકાનમાંથી કોઈપણ પ્રકારની માલમત્તા હાથ લાગી ન હતી. આથી, મોટી માલમતા ચોરી થતા બચી ગઈ છે. આ બનાવ સમયે એ પરિવાર મોરબી ગયો હતો. જો કે આ પરિવાર મોરબી અને સુલતાનપુર એમ બન્ને જગ્યાએ રહે છે. ત્યારે તસ્કરોને તેમના મકાનમાંથી કઈ માલમતા હાથ ન લાગતા ફોગટ ફેરો થયો હતો.

- text

 

- text