મોરબી : પરપ્રાંતીય મજૂરની ઢોર માર મારી હત્યા

- text


 

હાલ મોરબી તાલુકા પોલીસે હત્યાના બનાવની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી

મોરબી : મોરબીના ભડિયાદ ગામ નજીક આવેલા સીરામીક કારખાના પાસે યુવાનની લાશ મળી આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. લાશ ઉપર ઇજાના ચિહ્નનો દેખાતા પોલીસે લાશનું પીએમ કરાવ્યું હતું. જેમાં યુવાનનું માર મારવાથી મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે યુવાનની હત્યા કરવાના બનાવમાં બે શખ્સો સામે ગુન્હો નોંધવાની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે 11 વાગ્યાની આસપાસ મોરબીના ભડિયાદ ગામ પાસે આવેલા વિટ્રીફાઇડ કારખાનાના ગોડાઉન પાસે ખુલ્લી જગ્યામાં ઢગલા પાસે મનોજભાઈ માધુરસીંગ પરમાર ઉ.વ.21 નામના પરપ્રાંતિય યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં મોરબી તાલુકા પીએસઆઇ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા યુવાનના શરીરના ભાગે ઇજાના નિશાનો જોવા મળ્યા હતા. આથી પોલીસે આ બનાવનું કારણ જાણવા મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી અને પીએમમાં મૃતક યુવાનનું મોર મારવાથી મોત થયું હોવાનું ખુલતા પોલીસે આ બનાવ અંગે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બલરામ રમેશભાઈ આદિવાસી અને રાયસંગ અમરસંગ નામના બે શખ્સોએ આ યુવાનને માર મારીને પતાવી દીધો હોવાની હકીકત બહાર આવી છે. પોલીસે હાલ આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી યુવાનની હત્યા પાછળનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

- text