ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલે CM રૂપાણી સાથે મોરબીના ડેવલપમેન્ટ અને પ્રશ્નો અંગે ચર્ચા કરી

- text


મુલાકાત દરમિયાન મોરબીના ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીની સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ : જયસુખભાઇ પટેલ

મોરબી : ગત તા. 12 ઓક્ટોબરને સોમવારના રોજ ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ પટેલની ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી તેમજ એમ. કે. દાસ (પ્રિન્સિપલ સેક્રેટરી- CM) સાથે પર્સનલી મિટીંગ થયેલ હતી. જેમાં મોરબીના ડેવલપમેન્ટ માટે પણ વિગતવાર ચર્ચાઓ થયેલ હતી.

મોરબી શહેરને સ્પેશિયલ શહેરનો દરજ્જો આપી ડેવલોપમેન્ટ કરવાની રજૂઆત જયસુખભાઈ દ્વારા કરવામાં આવી હતી. ઉદ્યોગ નગરી મોરબીમાં હાલ આશરે 8,000 થી 10,000 ટ્રકોની અવર-જવર થતી હોય છે. જેમાં રો-મટીરીયલ તેમજ સમગ્ર દેશમાં ડિસ્પેચ તથા ફિનિશ મટિરિયલના ટ્રકો ઉપરાંત પોર્ટ ઉપરના કન્ટેનરની અવર-જવરનો પણ સમાવેશ થાય છે. હાલ બિઝનેસ માટેની અવર-જવરમાં મોરબીમાં આવવા-જવા માટે ફક્ત બે મેઇન રોડ છે. એક વાંકાનેર તરફ જતો નેશનલ હાઈવે અને બીજો કંડલા-કચ્છ તરફ જતો નેશનલ હાઈવે. હાલ 80 ટકા જેટલો ટ્રાફિક આ બે રોડ પર રહેતો હોય છે.

એમ. કે. દાસ સાથે વિસ્તૃત ચર્ચા દરમિયાન જયસુખભાઈએ રજૂઆત કરેલ કે મોરબી અવર-જવર માટેના અન્ય નવા માર્ગો પણ ખુલવા જોઈએ. જેથી, બિઝનેસ ટ્રાફિકનું સચોટ નિરાકરણ કરી શકાય. જેમ કે મોરબી-હળવદ ફોરવે હાઈવે તેમજ મોરબીથી સરા, મૂડી, સુરેન્દ્રનગર, નળ-સરોવર થઈને અમદાવાદ અને ત્યાંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તરફની કનેક્ટિવિટી કરી શકાય આ બાબત અંગે વિસ્તૃત ચર્ચા થયેલ હતી.

જયશુભાઈએ કરેલ રજૂઆત મુજબ મોરબીમાં ઇન્ડસ્ટ્રીઝનું ડેવલોપમેન્ટ ઘણું બધું વધારે હોવાથી મોરબીથી 30 કિલોમીટર એરિયા સુધીના બધા જ રસ્તા નવા, પહોળા અને વરસાદી સિઝનમાં ટકી રહે તેવા હોવાની ખાસ જરૂર છે આ બાબત પર યોગ્ય પ્લાનિંગ સાથે કાર્ય કરવાની જરૂરીયાત છે. જો આ પ્રકારના યોગ્ય પ્લાનિંગથી કાર્ય થાય તો સ્થાનિક લોકો તેમજ સમગ્ર દેશમાંથી લોડીંગ-અનલોડિંગ માટે આવતા હજારો ટ્રકોના ડ્રાઈવરને ટ્રાફિકમાં ફસાવવાની સમસ્યાથી મુક્તિ મળશે. તેના પરિણામ સ્વરૂપ બિઝનેસ વધુ સરળ અને સ્મૂધ બનશે.

- text

મોરબીમાં બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. હાલના સમયે પણ આશરે સો જેટલી નવી ફેક્ટરીઓ આવી રહી છે. જેનું અંદાજે રોકાણ ૧૦ હજાર કરોડની આસપાસ હશે. જેથી, લાંબા સમયનું સચોટ પ્લાનિંગ કરી યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થાય તેવી રજૂઆત ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઈ દ્વારા કરવામાં આવેલ હતી.

મોરબી શહેરના લોકોની મૂળભૂત અને પાયાની દરેક સમસ્યાનાે ઉકેલ થાય અને તે માટે મોરબીને એક સ્પેશિયલ શહેરનો દરજ્જો મળે અને તે મુજબ ડેવલોપમેન્ટ અને સુધારા થાય તે ખૂબ જ જરૂરી છે. મોરબીના દરેક ઇન્ડસ્ટ્રીઝ વાળાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે નર્મદા કેનાલ હંમેશા ભરેલી રહે તેવું આયોજન થાય તે માટે પણ વિસ્તૃત ચર્ચા થયેલ હતી. ઉલ્લેખનીય છે કે ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખ ભાઈની સાથે સાથે પ્રકાશભાઈ વરમોરા પણ સરકાર સમક્ષ રજૂઆત કરી મોરબીના પ્રશ્નો દૂર થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text