દીગ્ગજ કોંગી નેતાઓની ઉપસ્થિતિમાં મોરબીમાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન

- text


મોરબી : મોરબી-માળીયા નેશનલ હાઈવે પાસે લક્ષ્મીનગર ગામથી થોડેક આગળ જ મોરબી પેટા ચૂંટણી માટે કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે. આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના દીગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કર્યું હતું.

આજે ગુરુવારે બપોરે વિજય મહુર્તમાં કોંગ્રેસના સત્તાવાર ઉમ્મદવાર જ્યંતીભાઈ પટેલ પોતાનું ફોર્મ રજૂ કરે એ પહેલાં 65-મોરબી-માળીયા વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન મોરબી – માળીયા નેશનલ હાઇવે પર કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના આગેવાનો અર્જુનભાઇ મોઢવાડીયા, વિક્રમ માડમ, ચિરાગભાઈ કાલરીયા, બીપેન્દ્રસિંહ જાડેજા, લલિતભાઈ કગથરા ઉપસ્થિત રહ્યા હતા. જેન્તીભાઈ જયરાજભાઈ પટેલને બહોળી બહુમતીથી વિજયી બનાવવા માટે શીર્ષથ નેતાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text