મોરબીના રવાપર રોડ પર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા VHPની મુખ્યમંત્રીને રજૂઆત

- text


મોરબી : મોરબીના રવાપર રોડ ચાર રસ્તા ઉપર ફલાય ઓવર બ્રિજ બનાવવા અંગે વિશ્વ હિન્દુ પરીષદ – મોરબીના ઉપપ્રમુખ પંકજભાઈ બોપલીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી છે.

આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબીના રવાપર રોડ ચાર રસ્તા ઉપર વાહનોની અતિશય અવરજવર રહે છે. જેને લીધે અકસ્માત થાય છે. અકસ્માતો નિવારવા માટે તેમજ મોરબીની ટ્રાફીક સમસ્યા નિવારવા માટે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા ભૂતકાળમાં પણ રવાપર રોડ ઉપર ઓવર બ્રીજની માંગણી સરકાર પાસે કરેલ છે. મોરબી શહેર એ ગુજરાત રાજયની ઔધોગીક નગરી છે. સીરામીક, સેનીટેશન, ઘડીયાળ, હીરા ઉદ્યોગોને લીધે વિશ્વભરમાં મોરબીનું ગૌરવવંતુ સ્થાન છે. તો આ અરજી ધ્યાને લઈને તેમજ ભૂતકાળમાં થયેલ રજુઆતો ધ્યાને લઈ રવાપર રોડ ફલાય ઓવર બ્રીજ અંગે ઘટતું કરવા અપીલ કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text