મોરબી : શિક્ષણ નીતી વિષય પર ત્રી-દિવસીય ઓનલાઇન કાર્યશાળાનું આયોજન

- text


મોરબી : શિક્ષકોને નવી શિક્ષણ નીતિ બાબતે ખૂબ મહત્વપૂર્ણ માહિતી મળી રહે તે હેતુ સાર્થક વિદ્યામંદિર-મોરબીમાં તા 10થી 12 સપ્ટેમ્બર દરમિયાન સવારે 9 થી 11 દરમિયાન ત્રણ દીવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનારમાં મુખ્ય વક્તા તરીકે લેખક, પરામર્શ અને શિક્ષણવીદ ગુલાબરાય જોબનપુત્રા તેમજ ગુજરાત યુનિવર્સિટીના આસી. પ્રોફેસર ડો.અતુલ ઉનાગર ખાસ માર્ગદર્શન અપાશે. કાર્યશાળાના પ્રથમ દિવસે નવી નીતિ બાબતે પરિચય આપવામાં આવશે. તો બીજા દિવસે સ્થાનિક શિક્ષણવિદો દ્વારા માહિતી આપવામાં આવશે. અને ત્રીજા દિવસે અતુલ ઊનાગર દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text