જન્માષ્ટમી નિમિત્તે મોરબીના પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા લાડવા-ગાંઠિયાનું રાહતદરે વેચાણ ચાલુ

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા પંચમુખી હનુમાનજી ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ આઠમના તહેવાર નિમિતે શુદ્ધ અને ગુણવતા વાળા ગાંઠિયા અને લાડવાનું ગત તા. 3થી રાહત દરે વિતરણ ચાલુ થઈ ગયું છે. જેનો મોરબીની જનતાને લાભ લેવા માટે ટ્રસ્ટ દ્વારા આમન્ત્રણ છે. ઉલ્લેખનીય છે કે પંચમુખી ટ્રસ્ટ રાહત દરે દવાખાનું તેમજ રોજ 170 ઘરે ફ્રી ટિફિન સેવા પણ પુરી પડે છે. અને લાડવા ગાંઠિયામાં જે આવક આવશે, તે ટિફિન સેવા તેમજ દવાખાનું ચાલુ છે, તેમાં જ ઉપયોગમાં લેવામાં આવે છે.

- text

- text