BSNLના ગ્રાહકો માટે ખુશખબર : રિચાર્જની અવધિ અને ટોક ટાઈમમાં વધારો

- text


મોરબી : હાલમાં દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આથી, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહે છે. આવા સમયે ગ્રાહકોને રિચાર્જ કરાવવા માટે મુશ્કેલી ઉભી ન થાય તે હેતુથી BSNL દ્વારા મોબાઈલ રિચાર્જની અવધિ અને વધારોનો ટોક ટાઈમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ BSNLના પ્રિપેઇડ મોબાઈલ રિચાર્જની માન્યતા અવધિ તા. 20/04/2020 સુધી કરવામાં આવી છે. તેમજ શૂન્ય બેલેન્સ પછી પણ રૂ. 10નો વધારોનો ટોક ટાઈમ પૂરો પાડવામાં આવશે.

- text