રાહતના સમાચાર : મોરબીના બે કોરોનાના શંકાસ્પદ યુવકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા

- text


અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 16 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા : તમામના રિપોર્ટ નેગેટિવ

મોરબી : મોરબીમાં ગઈ કાલે સોમવારે બે પરપ્રાંતીય યુવકોમાં કોરોનોના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ જામનગર રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જે બંને ના રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લેવાયા હતા. અને તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મોરબીમાં હજુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

- text

મોરબીમાં ગઈકાલે સોમવારે કોરોનાના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેમાં બે પરપ્રાંતીય વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખતા તેમને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લઇ જામનગર રિપોર્ટ માટે મોકલ્યા છે. જે બંનેના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. જે બે પરપ્રાંતીય વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા તે બંને યુપીના છે અને એક વ્યક્તિ રફાળેશ્વર પાસે અને બીજો પાવરયાળી, જેતપર રોડ પર રહે છે. આ બંને કોઈ બહારના પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નોહતા. જે બંનેના રિપોર્ટ આજે મંગળવારે બપોરે જામનગરથી આવ્યા હતા. અને બંને રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

- text