લજાઈના જ્ઞાનજ્યોત વિદ્યાલય દ્વારા સ્વાસ્થ્યવર્ધક ઉકાળા અને કોરોનાથી સાવધાની રાખવાની પત્રિકાનું વિતરણ

- text


ટંકારા : ગત તા. 21/03/2020 ના જ્ઞાનજ્યોત વિદ્યાલય દ્વારા લજાઇ ગામમાં ડોર ટુ ડોર જઈને સ્વાસ્થ્યવર્ધક જડીબુટ્ટીઓથી બનેલા ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું તેમજ કોરોના વાઇરસથી બચવાની સાવચેતીઓની પત્રિકા આપવામાં આવી હતી. આ તકે ડૉ. વલ્લભભાઈ વામજાએ ઉકાળો બનાવવાની જહેમત ઉઠાવી હતી. તેમજ લજાઇના યુવાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ ખભેખભો મિલાવી જાગૃતિ ફેલાવી હતી. આ તકે પ્રમુખ ડી.પી. કોટડીયા એ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે લજાઇ ગ્રામજનોએ કોરોનાને ફેલાતો અટકાવવા સહયોગ આપ્યો હતો.

- text