મોરબી : માતાજીનો માંડવો અને સ્નેહમિલનના કાર્યક્રમ રદ

- text


મોરબી : નાના દહીંસરા ગામના રહેવાસી બાલુભાઈ ભટ્ટાસણા પરિવાર દ્વારા પુત્રી જન્મ નિમિત્તે તા. 22 માર્ચના રોજ બહુચરાજી માતાજીનો નવરંગ માંડવો તથા ગોત્રીજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ જનતા કર્ફ્યુની અપીલના સમર્થનમાં આ કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. જેની સગા-વ્હાલાઓએ નોંધ લેવા જણાવેલ છે.

- text

આ ઉપરાંત, કોરીગા પરીવાર તરફથી સુરાપુરા દાદાની જગ્યા (બંગાવડી, આજી નદીના કાંઠે) દ્વિતીય સ્નેહ મિલન તથા યજ્ઞ, જે ૧૯/૦૪/૨૦૨૦ના દિવસે રાખેલ હતો. તે કાર્યકમ હવે કોરોના વાયરસને લઈને રદ કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા આયોજકોએ જણાવેલ છે.

- text