મોરબીના સોની યુવાને બીમારીથી કંટાળી મચ્છુ-2 ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર પુનિત નગરમાં રહેતા યુવાને માનસિક બીમારી અને બોલવામાં પડતી તકલીફને કારણે જિંદગીથી કંટાળી જઈ મચ્છુ- 2 ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ સહિતની વસ્તુઓ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર પુનિતનગરમાં રહેતા મનોજ ઉર્ફે લાલો જયંતીભાઈ રાણપરા ઉ.44 નામના યુવાને શનિવારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મચ્છુ – 2 ડેમના સ્લીપ-વે બ્રિજ ઉપર પોતાના ચપલ, મોબાઈલ, પાકિટ અને સ્યુસાઇડ નોટ મૂકી પાણીમાં ઝંપલાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ પોલીસે હાથ ધરેલ તપાસમાં મૃતક છેલ્લા 18 વર્ષથી માનસિક બીમાર હોવાની સાથે આઠેક વર્ષ પૂર્વે સોની કામ કરતા હતા ત્યારે ગેસ ગન ચાલુ રહી જતા ભડકો થતા આગની વરાળ ગળામાં જતા વ્યવસ્થિત બોલી ચાલી ન શકતા હોય બીમારી અને બોલવાની તકલીફથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text