ઢૂંવા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવતા પરિણીતાનું સારવાર દરમ્યાન મોત

- text


મોરબી : વાંકાનેર હાઇવે પર ઢૂંવા પાસે ટ્રેન હેઠળ ઝંપલાવીને નવીપીપળીની પરિણીતાએ આપઘાત કરતા રેલવે પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના નવીપીપળી ગામે રહેતા 26 વર્ષીય ડિમ્પલબેન મયુરભાઈ જેઠલોજાએ વાંકાનેર ઢૂંવા વચ્ચે આવેલા ઓવરબ્રિજ ટોલનાકા પાસે બાદ્રા-ગાંધીધામ ટ્રેન હેઠળ ઝંપલાવતા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. પરિણીતાને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

- text

ઘેરથી દવા લેવા જવાનું કહીને એક્ટિવા પર નીકળેલા ડિમ્પલબેને સમર્પણ હોસ્પિલ ખાતે તેનું વાહન પાર્ક કર્યું હતું. ત્યારબાદ તેઓ કોઈ રીતે વાંકાનેર નજીક પહોંચી ઉક્ત સ્થળે ટ્રેન હેઠળ પડતું મૂક્યું હતું. મૃતક ડિમ્પલબેનનો લગ્નગાળો બે વર્ષનો હોય રેલવે ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ આત્મહત્યાનું કારણ જાણવા વાંકાનેર રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text