મોરબીના મયુરપુલ ઉપર એસટી બસની હડફેટે યુવકનું મોત

- text


મોરબી : મોરબીના મયુરપુલ ઉપર આજે બપોરના સમયે એસટી બસની હડફેટે એક યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે બસના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મયુરપુલ ઉપર આજે એસટી બસ નંબર Gj 18 z 4897ના ચાલકે ભરતભાઇ ગગજીભાઈ કુંધિયા ઉ.વ. 40ને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતકના ભાઈ બીજલ ગગજીભાઈ કુંધિયાની ફરિયાદના આધારે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી તેને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text