મોરબી સિરામિક એસો.એ કોરોનાના સંભવત જોખમને લીધે એન્ટીડમ્પિંગનો સેમિનાર મોકૂફ રાખ્યો

- text


મોરબી : અત્યારની કોરોના વાયરસની સ્થિતને ધ્યાનમા રાખીને કેપેક્સીલ અને મોરબી સિરામીક એશોસીએસનના સંયુકત ઉપક્રમે જે એન્ટીડંપીંગનો સેમીનાર તા.૬/૩/૨૦૨૦ ના રોજ રાખવામાં આવ્યો હતો. તે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેમિનારમાં વધુ લોકોને મળવાનુ થતુ હોય તેમા અત્યારે વાયરસના જોખમને ધ્યાનમા લઇને સલામતી અર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી નવી તારીખ આગામી સમયમાં જાહેર કરવામા આવશે. તેમ મોરબી સિરામીક એશોસીએસનની યાદીમાં જણાવાયું છે.

- text