મોરબીની એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલની ધો. 10,12ની છાત્રાઓનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં ભણતી ધો. 10 અને 12ની વિધાર્થીનીઓનો વિદાય સમારોહ તાજેતરમાં યોજાયો હતો. આ તકે મુખ્ય મહેમાન તરીકે જાણીતા ઉધોગપતિ અનિલભાઈ વરમોરાએ હાજરી આપીને વિધાર્થીનીઓને શિક્ષણ ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ ઉષાબેન જાદવે વિધાર્થીનીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે વિધાર્થીનીઓ સ્વાગત ગીત અને નાટક રજૂ કરીને આ હાઇસ્કૂલમાં શિક્ષણ મેળવવા મામલે સુંદર હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા. જ્યારે અનિલભાઈ વરમોરા દ્વારા વિદ્યાર્થીનીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી દ્વારા ધો. 10 અને 12ની વિદ્યાર્થીનીઓને તણાવમુક્ત બનીને પરીક્ષા આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text