વાંકાનેરમાં કાલે રક્તદાન શિબિર યોજાશે

- text


વાંકાનેર : વાંકાનેરમાં મહંત નારાયણદાસજીના આત્મકલ્યાણ અર્થે મહંત છબીરામદાસજીના સાનિધ્યમાં રઘુનાથજી શેરી યુવા ગૃપ દ્વારા આવતીકાલે રઘુનાથજી શેરીમાં આવેલ રઘુનાથજી મંદિર ખાતે સવારે 9 થી 3 વાગ્યા સુધી મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહોળી માત્રામાં લોકો રક્તદાન કરે તે માટે આયોજકો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text