લખનૌ ખાતે યોજાનાર રાષ્ટ્રીય જ્યોતિષ મહાસંમેલનમાં મોરબીના આચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાને વિશિષ્ટ આમંત્રણ

- text


મોરબી : મોરબીના જ્યોતિષ આચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાને યુ.પી.ના લખનૌ ખાતે યોજાનાર રાષ્ટ્રીય જ્યોતિષ મહા સંમેલન અને નાગરિક સમ્માન સમારંભમાં વિશિષ્ટ અતિથિપદે ઉપસ્થિત રહેવા માટેનુ આમંત્રણ મળ્યુ છે.

- text

4થી એપ્રિલને શનિવારે શરૂ થનાર બે દિવસીય આંતરરાષ્ટ્રીય જ્યોતિષ સંમેલનમા દેશભરના જ્યોતિષાચાર્ય સહિત અનેક મહામંડલેશ્વરો શંકરાચાર્ય મહારાજ પણ લખનૌ સ્થિત રાય ઉમાનાથ બલી પેક્ષાગૃહમાં પધારવાના છે, ત્યારે મોરબીના જ્યોતિષાચાર્યને ખાસ અતિથિ તરીકે આમંત્રણ મળતા મોરબી માટે એ ગૌરવપ્રદ ઘટના છે. ઉલ્લેખનીય છે કે મોરબી અપડેટમા અઠવાડિયે એક વાર દર રવિવારે પ્રસ્તુત થતુ અઠવાડિયક રાશી ભવિષ્ય આચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવે છે જે વિશ્વસનીય હોય વ્યુઅર્સમાં ખૂબ લોકપ્રિય બન્યુ છે.

- text