મોરબીમાં 5 ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

- text


મોરબી : નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૦૫-૦૨-૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યૂ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ સામે, મોરબી ખાતે જિલ્લા કક્ષા ના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોરબી જિલ્લાઓના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી, ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/ આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. તેમજ રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text